પ.બંગાળમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારો: ભાજપ કાર્યાલય સળગાવવાનો આરોપ
- 18 Apr, 2024
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બુધવારે રામનવમીની શોભાયાત્રા દરમિયાન જોરદાર ધમાલ થઈ હતી. આ દરમિયાન થયેલી મારામારીમાં સાત લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલોને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન હાલ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. પ્રશાસને પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દીધી છે. સાથે જ વધારાના સુરક્ષાબળોને પણ તહેનાત કર્યા છે.
બંગાળ પોલીસનું કહેવું છે કે આ ધાધલ શક્તિપુર વિસ્તારમાં થઈ હતી. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તણાવપૂર્ણ સ્થિતના પગલે વધારાના સુરક્ષાબળોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. જોકે રાતે કોઈ અપ્રિય બનાવ બન્યો નહોતો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
રામનવમીના તહેવારના દિવસે મુર્શિદાબાદમાં જ નહિ પરંતુ પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુરમાં પણ અથડામણ થઈ હતી. અહીં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી અથડામણમાં ચાર લોકો ઘાયલ થયા હતા. બીજેપીનો આરોપ છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી. નંદીગ્રામમાં બીજેપીના કાર્યાલયને સળગાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ